જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનોએ ગાડીઓમાં રથયાત્રા ના માગૅ પર ફયૉ..
પાટણ તા. 6
પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આવતી કાલે નીક્ળનારી ભગવાન ની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
શનિવારે પાટણ જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ જગન્નાથ મંદિર પરિસરની મુલાકાત લીધી હતી અને મંદિરના ટ્રસ્ટીઓ અને આયોજકો સાથે ચર્ચા વિચારણા કરી હતી .
પાટણ જિલ્લા પોલીસ વડાએ શહેરમાં નીકળનારી રથયાત્રા નિમિતે મંદિર પરિસર ખાતે થી પોલિસ જવાનો સાથે વાહનો મારફતે સમગ્ર રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ યોજી જરૂરી સૂચનાઓ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા સૌને અપીલ કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી