એક વૃક્ષ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી ઉપસ્થિત મહાનુભાવો એ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા. 9
પાટણ તાલુકા ભાજપ અનુ.જાતી મોરચાના પુર્વ ઉપ પ્રમુખ,અને પુર્વ કોપ્ટ સભ્ય પરમાર ત્રિભોવનભાઈ એ પોતાના અને તેમના લાડકવાયા દીકરા સ્મિતના જન્મદિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના એક વૃક્ષ માટેના અભિયાન અંતર્ગત મંગળવારે રાજપુર મુકામે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે પાટણ જીલ્લા અનુ જાતી મોરચાના મહામંત્રી કલ્પેશભાઈ ઙોઙીયા,પાટણ તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ પરમાર,પાટણ તાલુકા અનુ.મોરચા મહામંત્રી રાજુભાઈ મકવાણા, સરસ્વતી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પરમાર, સમીજીક અગ્રણી અને પૂર્વ સરપંચ ગણપતભાઈ એસ.મકવાણા, પ્રકાશભાઈ સોલંકી, દીલીપભાઈ સાધુ, રાજેશભાઈ ઠાકોર, પ્રવીણભાઈ પરમાર, દીપકભાઈ પરમાર, હસમુખભાઈ પરમાર, નાગરભાઈ પરમાર,રાયચંદભાઈ પરમાર, લક્ષ્મણભાઈ પરમાર, ગોવીંદભાઇ પરમાર, રમેશભાઈ પરમાર, અમરતભાઈ પરમાર, મીતકુમાર સહિત ના આગેવાનો એ ઉપસ્થિત રહી સ્મિત ના અને ત્રિભોવનભાઈ ના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી .
સાથે એક વૃક્ષ મા કે નામ અભિયાન અંતર્ગત ૫૩ વૃક્ષનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી