પાટણ તા.૧૨
પાટણ જિલ્લા અદાલતનાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સોજિત્રા સાહેબની શુક્રવારે અમદાવાદ રૂરલ કોર્ટમાં બદલી થતા તેઓ અમદાવાદ ફરજ પર હાજર થાય તે પૂર્વે તેઓએ પાટણ જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે ભગવાન જગન્નાથજીની પુજા અચૅના સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે પધારેલા પાટણ જિલ્લા ના મુખ્ય ન્યાયમૂર્તિ નું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ તેઓને અષાઢી બીજ ના પવિત્ર પર્વ નિમિત્તે પોતાના ધર્મ પત્ની સાથે દર્શનાર્થે પધાર્યા હતા
ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલી તેમની યાદગાર ફોટો પ્રતિમા સાથે ભગવાન જગન્નાથજીની ફોટો પ્રતિમા અર્પણ કરી હૂંફાળા વિદાય માન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી હર્ષદભાઈ રાવલ સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના સેવક ગણ સાથે જગન્નાથ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી