પાટણ શહેર સહિત આજુબાજુની 50 શાળાઓમાં ગુરુ શિષ્યના મહત્વને સમજાવતા કાર્યક્રમની સરાહના કરાઈ.
પાટણ તા. ૨૦
ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા છેલ્લા 50 વર્ષથી ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરની વિવિધ શાળાઓમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવતો હોય છે ત્યારે શનિવારના રોજ પાટણ શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમને ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા પાટણ અને આજુબાજુ ની કુલ 50 જેટલી શાળાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ ગુરુ અને શિષ્યનો શું સંબંધ છે તેના વિશે ભારત વિકાસ પરિષદ દરેક સ્કૂલો માં જઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. શહેરની આદર્શ સ્કૂલ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ શાખાના ટ્રસ્ટી શાંતિ ભાઈ સ્વામી, હેમંતભાઈ કાટવાલા, વિજયભાઈ પટેલ, નારણભાઈ પટેલ સહિતના સભ્યો સાથે આદર્શ સ્કૂલના આચાર્ય સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી