fbpx

પાટણ ના આબલીયાસણ ગામે ઠાકોર સમાજ ની વાડી નું પ. પુ. દોલતરામ બાપુના વરદ હસ્તેખાતમુહુર્ત કરાયું…

Date:

પાટણ તા. ૨૨
પાટણ ના આંબલિયાસણ ગામે ગ્રામજનોના સહકાર થકી સોમવારે પરમ પૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુના વરદ હસ્તે ઠાકોર સમાજની વાડી નું શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ખાત મુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. આબલીયા સણ ના ગ્રામ જનો દ્રારા સંયુક્ત રીતે દાન ફાળો એકત્ર કરી ઠાકોર સમાજ ના લોકોને વાર તહેવાર માટે સુવિધા ઓ ઉપલબ્ધ બની રહે તેવા શુભ ઉદેશ સાથે ગામમાં ઠાકોર સમાજ ની વાડી બને તે માટે સૌએ સહિયારા પ્રયાસ સાથે એકત્ર કરેલ રકમ માથી નિમૉણ પામનાર ઠાકોર સમાજ ની વાડી નું સોમવારે નોરતા ના સંત પ. પુ. દોલતરામ બાપુના વરદ હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ. પુ. દોલતરામ બાપુએ ઠાકોર સમાજ ની એકતા અને અંખડીતતા સાથે સમાજ ભાવનાને સાથૅક કરવા સંયુક્ત રીતે દાન ફાળો એકત્ર કરી સમાજ વાડી ના નિમૉણ ની કામ ગીરી ને સરાહનીય લેખાવી પોતાના રૂડા આશીર્વાદ પાઠવ્યાં હતાં. ઠાકોર સમાજ ની વાડી ના ખાતમુહુર્ત પ્રસંગે મોટી સંખ્યા માં ગ્રામજનો સાથે સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related