આઠ બાઈના આઠ રૂપ, નવદુર્ગાના નવ રૂપ અને દશા માતા ના દસ રૂપ હોવાથી દેવીપૂજક સમાજમાં દશા માતા ના વ્રતનું વિશેષ મહત્વ..
પાટણ તા. ૬
અષાઢ વદ અમાસને દિવાસાના તહેવારથી શરૂ થયેલા દશામાના વ્રતનો મહિમા અનેરો છે ત્યારે આ વ્રતને વિધિ વિધાન મુજબ અનેક લોકો કરતા હોય છે ત્યારે પાટણ શહેરમાં દેવીપુજક સમાજ દ્વારા આ વ્રતની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં દેવીપુજક સમાજની મહિલાઓ,પુરુષો અને બાળકો સહિત પરિવારજનો પાટણની સરસ્વતી નદીએ જઈને માટીના ગોળાકાર લાડુ બનાવી તેના પર અબીલ ગુલાલ કંકુથી સુશોભિત કરી પૂજા અર્ચના કરી કુંભની સ્થાપના કરી બાદમાં પોતાના ઘરે જઈ દશામાની સ્થાપના કરે છે.
અને દસમા દિવસે મૂર્તિનું નદીમાં જઈ વિસર્જન કરે છે. આમ પાટણ શહેરમાં દેવીપૂજક સમાજ દ્વારા દશા માતાના વ્રતની અનોખી રીતે પૂજા વિધિ છેલ્લા 25 વર્ષથી કરાતી હોવાનું પાટણના દેવીપુજક સમાજના અગ્રણી પ્રકાશ પટ્ટણીએ જણાવી આઠ બાઈના આઠ રૂપ, નવદુર્ગાના નવ રૂપ એમ દશામા ના દસરૂપ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી