પાટણ તા. ૨૬
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્માષ્ટમીના પાવન દિવસે માતૃત્વની સેવાના એકમાત્ર ઉદ્દેશ સાથે સિધ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગોકુલ ગર્ભ સંસ્કાર ધામની શુભ શરૂઆત રાજયના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બાળકનો ૮૦% વિકાસ ગર્ભમાં જ થાય છે. તે દરમ્યાન પ્રાચીન વિજ્ઞાન એટલે “ગર્ભ સંસ્કાર” દ્વારા આપેલ જ્ઞાન, તેના સમગ્ર જીવન પર્યંત બાળકને ખૂબ જ ઉપયોગી થાય છે.
ગર્ભસંસ્કાર દ્વારા બાળક માં ઈચ્છિત ગુણોનું સિંચન અને અનિચ્છિત ગુણોની બાદબાકી કરી શકાય છે. આ પ્રસંગે ડૉ. મહેશભાઈ અખાણી, ડૉ. પ્રલાદભાઈ, ડૉ.દીપુબા દેવડા, અનિતાબેન પટેલ, ડો.મિત્તલબેન વ્યાસ, શ્રીમતી ભીખીબા રાજપૂત, તેજલ બેન રાજપૂત, ડૉ.સ્મિતાબેન પંચાલ, ડૉ. ગ્રીષ્મા બેન તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આઠ જેટલી સગર્ભા મહિલાઓ ગર્ભ સંસ્કાર ધામમાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી