શ્રાવણની પુણૉહૂતિ ના સોમવારે ગામના રાજપૂત યુવક મંડળ દ્વારા વિશેષ પુજા સાથે ભકતોને મહાપ્રસાદ વિતરણ કરાયો…
પાટણ તા. ૨
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની શિવભક્તો દ્વારા વિશેષ પ્રકારની પૂજા અર્ચના સાથે શ્રાવણ માસના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. પાટણ સમીપ આવેલ કુણઘેર ગામના રામેશ્વર મહાદેવ મંદિરમાં દર શ્રાવણ મહિનાના પવિત્ર દિવસ માં સાંજે પૂજામાં, ૫૧ દીવડા કરી સંપૂર્ણ મંદિરને પ્રકાશમય બનાવવામાં આવ્યું હતું. આ ધામિર્ક પ્રસંગનો ગામના અલગ અલગ દાતાઓ દ્રારા લાભ લીધો હતો.
રામેશ્વર મહાદેવ મંદિર માં શ્રાવણ માસ નિમિત્તે નિત નવા મનોરથો સહિત વિવિધ ઉત્સવો ઉજવવા માં આવ્યાં હોવાનું મંદિરના સેવક ગોસ્વામી શૈલેષપુરી હરદેવપુરી એ જણાવ્યું હતું.શ્રાવણ માસ ના અંતિમ સોમવારે કુણધેર ગામના રાજપુત યુવા મંડળ ના શિવ ભકતો દ્રારા ભગવાન ભોળાનાથ ની પુજા અચૅના અને અભિષેક કરી ઉપસ્થિત શિવ ભક્તોને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી