પાટણ પ્રજાપતિ સમાજના 2000 થી વધુ ભક્તોએ ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી..
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને શ્રી ગોપેશ્વર મહાદેવ સેવક સમિતિ દ્વારા સુંદર આયોજન..
પાટણ તા. 5
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને શ્રી ગોપેશ્વર મહાદેવ સેવક સમિતિ ના સેવાભાવી યુવાનો દ્વારા ગુરૂવારના પવિત્ર દિવસે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી પદ્મનાભજીના પ્રસાદ સ્વરૂપે અપૅણ કરવામાં આવતા પંચકુટી દાળ અને ઉધા કલાડા ઉપર દેશી ચુલા પર પ્રજાપતિ સમાજના વડીલ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી રોટલીઓ ઉપર લથપથ શુધ્ધ ઘી ચોપડી સાથે ગોળ અને ઘી માંથી તૈયાર કરવામાં આવેલ ગળીયા ના સમૂહ પ્રસાદનું મેઘરાજાની રીમઝીમ હેલી વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ પ્રજાપતિ સમાજ ના અંદાજિત 2000 થી વધુ ભક્તોએ ભગવાન શ્રી પદ્મનાભજીની પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવેલ પંચકુટી દાળ અને રોટલી સહિત ગળીયા નો પ્રસાદ ભગવાનની હરમાણી બોલી સમૂહમાં ગ્રહણ કરી ભગવાન શ્રી પદ્મનાભજી સન્મુખ વિશ્વ શાંતિ ની પ્રાર્થના સાથે ભગવાન ના રૂડા આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને શ્રી ગોપેશ્વર મહાદેવ સેવક સમિતિ ના સેવાભાવી કાર્યકર્તાઓમાં ચિંતન પ્રજાપતિ, શાંતિભાઈ સ્વામી, યશપાલ સ્વામી, મહેશ દલવાડી, ઈશ્વર જય ભોલે, કમલેશ સ્વામી, કનુ મિસ્ત્રી, સંજય સ્વામી, ભાઈચંદ પ્રજાપતિ, વિજય સ્વામી, મહેશ સ્વામી, પિયુષ પ્રજાપતિ, મુકેશ મિસ્ત્રી, દિપક સ્વામી, ગૌતમ પ્રજાપતિ, બકુલ પ્રજાપતિ સહિત ના સભ્યો દ્વારા શ્રાવણ માસની પુર્ણાહુતિ નિમિત્તે મેઘરાજાની અમી વર્ષા વચ્ચે આયોજિત આ પંચકુટી દાળ રોટલીના પ્રસાદના આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી