વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા પુષ્પાજલિ અપૅણ કરાઈ…
પાટણ તા. 29
પાણી માટે પોતાની કાયા નું બલિદાન આપનાર બત્રીસ લક્ષણા વીર પુરુષ શ્રી વીર મેઘમાયા ની યાદમાં માયા સાતમ ના પવિત્ર દિવસે પાટણમાં નિકળેલી પાલખી યાત્રા નું પાટણ ના પ્રબુદ્ધ નગરજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિર મેઘમાયા બલીદાન દિવસ નિમિતે નિકળેલી આ પાલખીયાત્રા (શોભાયાત્રા) નુ શહેર ના ત્રણ દરવાજા પાસે સ્વાગત સન્માન કરી વીર મેઘમાયા ને શ્રધ્ધા સુમન સમપણૅ કરવામા આવ્યા હતા.
આ પવિત્ર પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ પાટણ શહેર પ્રમુખ જગદીશભાઈ ડી. ઠક્કર,શહેર મંત્રી વિશાલભાઈ રામાવત, હિતેશભાઈ ઠક્કર, પીયુષભાઈ રાઠોડ, દિનેશભાઈ પટેલ, અજય જનસારી, જય જનસારી, કલ્પેશ ભાઈ મોદી, ગોરાંગભાઈ સહિત મોટી સંખ્યા મા કાર્યકર્તા બંધુ-ભગિની ઉપસ્થિત રહ્યા હતા.