પાટણ તા.12
અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવાના વિરોધમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજ્ય વ્યાપી ધાર્મિક સ્થળો પર મોહનથાળના પ્રસાદનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે રવિવારના રોજ પાટણ શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના જલારામ મંદિર, ગણેશ મંદિર સહિત વિવિધ મંદિરોમાં મોહનથાળ ના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જે.ડી.ઠક્કર સહિતના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અંબાજી મંદિરમાં પુનઃ મોહનથાળ ના પ્રસાદ આયોજન કરવામાં આવે તેવી માંગ કરી હતી.