પાટણ તા. 12
પાટણના ત્રણ દરવાજા સ્થિત શ્રી સધી માતાજીના મંદિર પરિસરની રવિવારના શુભદિને 25 મી વર્ષ ગાંઠ પર્વની ભક્તિ સભર માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સધી માતાજીની 25મી વર્ષગાંઠ નિમિત્તે માતાજી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. સાથે સાથે માતાજીનો હવન યજ્ઞ પણ કરાયો હતો.
આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.