મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ, 28 કીર્તનની સેવા, ધજાદંડ અને મહા આરતી સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા..
પદ્મનાભ મુક્તિધામ ખાતે નવીન બનાવેલ શેડ, સરાવવાની વિધિ માટે નો રૂમ અને સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું..
પાટણ તા. 26
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ની 621મી જન્મ જયંતી પર્વની રવિવારના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
આ પવિત્ર પ્રસંગે મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ, ભગવાનની 28 કીર્તનની સેવા,મંદિર શિખર પર ધજા ચડાવવાનો પ્રસંગ તેમજ મહાઆરતી જેવા ધાર્મિક ઉત્સવો ઉજવવા
માં આવ્યા હતા.
શ્રી પદ્મનાભ ભગવાનની 621 મી જન્મ જયંતી પ્રસંગને અનુલક્ષીને શ્રી પદ્મનાભ મુક્તિધામમાં નવીન બનાવેલ શેડ, બેઠક વ્યવસ્થા તેમજ સરાવવા ની વિધિ માટે બનાવાયેલ નવીન રૂમ અને સત્સંગ હોલ નો લોકાર્પણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુક્તિધામમાં સહયોગી બનેલા તમામ દાતા પરિવારોનું શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર,શ્રી મુક્તિધામ સમિતિ તેમજ શ્રી પદ્મનાભ મંદિર વિકાસ સમિતિ દ્વારા સાલ,બુકે અને મોમેન્ટો આપીને સ્વાગત સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા ભગવાનના 621 માં જન્મ જયંતી પ્રસંગને અનુલક્ષીને સમગ્ર પ્રજાપતિ નાત ગંગા નું સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભગવાન શ્રી પદ્મનાભજી ની 621મી જન્મ જયંતિ ને અનુલક્ષીને આયોજિત કરાયેલા આ તમામ પ્રસંગોને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર, શ્રી પદ્મનાભ વિકાસ સમિતિ અને શ્રી પદ્મનાભ મુક્તિધામ વિકાસ સમિતિ સહિત સમાજના સેવાભાઈ યુવાનો, આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. રાત્રે 12-00 કલાકે ભગવાન શ્રી પદ્મનાભજી સન્મુખ ભકતો દ્રારા કેક કાપીને 621 માં જન્મ જયંતી પર્વને યાદગાર બનાવ્યો હતો..