મંદિર પરિસર ખાતે સુંદરકાંડ,હનુમાન ચાલીસા પાઠ તેમજ હનુમાનજી મહારાજ ના જન્મોત્સવ ની ઉજવણી કરાય..
પાટણ તા. 6
પાટણ શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે હનુમાન જયંતિ ના પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પાટણ શહેરના જલારામ મંદિર પરિસર માં આવેલા શ્રી હનુમાનજી દાદા ના મંદિર પરિસર ખાતે મંદિરના પૂજારી રશ્મિકાંત રાવલના શું મધુર કંઠે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા ના પાઠ નું પઠન કરવા માં આવ્યું હતું
બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં શ્રી હનુમાનજી મહારાજ ના અવતરણ ની ઉજવણી કરવા માં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી શ્રી જલારામ મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા શ્રી હનુમાન જયંતી પર્વની ઉજવણી ને યાદગાર બનાવવા શ્રી જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ ,મંદિરના પુજારી રશ્મિકાંત રાવલ અને ધર્મેન્દ્ર રાવલ સહિત ભક્તો દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.