આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન અપાયું..
પાટણ તા. 4
ડો.બાબા આંબેડકર ભવન પાટણ ખાતે રવિવારે જનસંપર્ક થી જનસમર્થન તેમજ પ્રદેશ મોરચાની સૂચના અનુસાર આગામી કાર્યક્રમો અંતર્ગત પાટણ જીલ્લા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક જીલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાઈ હતી.આ બેઠક માં ગુજરાત ના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સુશાસન ના 9 વષૅ મા કરેલા વિકાસ કાર્યો ને જન જન સુધી પહોચાડવા અને આગામી લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક જંગી બહુમતીથી વિજય બનાવવા ચુટણીલક્ષી માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પાટણ જીલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવ, મોરચાના પ્રદેશ મંત્રી ગંગારામભાઈ સોલંકી, પાટણ જીલ્લા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ વશરામભાઇ સોલંકી, પ્રદેશ કારોબારી સભ્ય મહેશભાઈ જાદવ, મંત્રી સોમાભાઈ પરમાર, મધુબેન સેનમા,શંખેશ્વર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ચેલાભાઈ ભદ્રાડીયા, ચેરમેન નરેશભાઈ પરમાર, મહામંત્રી કલ્પેશભાઈ ડોડીયા સહિત તાલુકા અને શહેર મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.