fbpx

ક્રૂરતાની ચરમસીમા… લિવ ઇન પાર્ટનર ના ટુકડા કરીને કૂકરમાં બાફીને મિક્સી માં પીસી નાખ્યા… થોડા ટૂકડા કૂતરા ને ખવડાવી દીધા

Date:

મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં મીરા રોડ વિસ્તારમાં એક મહિલાની તેના લિવ-ઈન પાર્ટનરે હત્યા કરી દીધી પછી તેની લાશના ટુકડા કરી નાખ્યા.

મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં મીરા રોડ વિસ્તારમાં એક મહિલાની તેના લિવ-ઈન પાર્ટનરે હત્યા કરી દીધી પછી તેની લાશના ટુકડા કરી નાખ્યા. 56 વર્ષના એક વ્યક્તિ એ લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી તેના પાર્ટનરના કટરથી ટુકડા કરી નાખ્યા. જે બાદ તેની લાશને કુકરમાં ઉકાળીને મિક્સી માં પીસી નાખી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના મીરા ભાયંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7 ની છે. તેમનો ફ્લેટ નંબર 704 હતો. આમાં 56 વર્ષીય મનોજ સાને અને 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતા હતા. બંને લગભગ ત્રણ વર્ષથી આકાશદીપ બિલ્ડીંગ માં રહેતા હતા. તેમના રૂમની બહાર કોઈ નેમપ્લેટ પણ ન હતી. તેમનો ફ્લેટ સોનમ બિલ્ડર્સના નામે નોંધાયેલો હતો. એવું કહેવામાં આવ્યું કે બંને વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી વિવાદ ચાલી રહ્યો હતો. આરોપીને શંકા હતી કે તેની પાર્ટનર કોઈ અન્ય સાથે સંબંધમાં છે.

મહિલાનું શરીર કટરથી કાપ્યું

મહિલાને કાપવા માટે મનોજ સાને બજાર માંથી ટ્રી કટર લઈ આવ્યો હતો. તેણે એનાથી મહિલાના 100 ટુકડા કરી નાખ્યા. તે પછી તેમાંથી કેટલાક ટુકડાને કૂકરમાં ઉકાળીને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દીધા હતા. જોકે, આરોપીની ધરપકડ બાદ આરોપીએ પોલીસને જણાવ્યું કે સરસ્વતી વૈદ્યએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી હતી. તેને ડર હતો કે આત્મહત્યા માટે તેને જવાબદાર ન ઠેરવવામાં આવે. આ ડરના કારણે તેણે લાશના ટુકડા કરી નાખ્યા.

આ રીતે સામે આવ્યો આ હત્યાકાંડ

7 જૂનના રોજ આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. જેની ફરિયાદ તેમણે પોલીસમાં કરી હતી. મામલાની જાણ થતા જ પોલીસ ટીમ સાથે પહોંચી ગઈ હતી. ઘરમાં પ્રવેશ્યા બાદ નયાનગર પોલીસને જાણવા મળ્યું કે ત્યાં મહિલાનો માત્ર પગ જ બચ્યો હતો. મહિલા ના બાકીના અંગોને આરોપીઓએ કાપીને નજીકના ભાયંદર શહેરમાં ઉત્તન બીચ પાસે ફેંકી દીધા હતા. કેટલાક અંગો કૂતરાઓને ખવડાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે લાશના કેટલાક ટુકડાને પહેલા પ્રેશર કૂકરમાં ઉકાળ્યા અને પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી નાખ્યા હતા.

પોલીસે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2022 માં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની રહેવાસી શ્રદ્ધા વોકરની દિલ્હીમાં આવી જ રીતે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ગયા અઠવાડિયે પણ ભાયંદર શહેરના ઉત્તન બીચ પાસે એક મહિલાને મારીને ફેંકી દેવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શું 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે? 1000 રૂપિયાની નોટ ફરીથી ચલણમાં આવશે? RBI ગવર્નરે આપી મહત્ત્વપૂર્ણ જાણકારી

શું 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ જશે? 1000 રૂપિયાની નોટ ફરીથી ચલણમાં આવશે? RBI ગવર્નરે આપી મહત્ત્વપૂર્ણ જાણકારી ~ #369News

એન્કાઉન્ટર: અતીક એહમદ ના પુત્ર અસદ નું યુપી પોલીસ દ્વારા સફાયો

ઝાંસીઃ મોટા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે...

કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI જેવા હિન્દુ વિરોધી કટરવાદી સંસ્થા સાથે સરખાવતા બજરંગ દળ ના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો..

કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI જેવા હિન્દુ વિરોધી કટરવાદી સંસ્થા સાથે સરખાવતા બજરંગ દળ ના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો.. ~ #369News

તલાટીની પરીક્ષા: આજે 1 વાગ્યા થી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

તલાટીની પરીક્ષા: આજે 1 વાગ્યા થી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર ~ #369News