પાટણ તા. 11
જે દીકરીઓને માથે હાથ મૂકીને માતા એ આશિષ આપ્યા હતા એ જ દીકરી ઓએ માતા ની અર્થી ને કાંધ આપી દીકરા ની ખોટ પુરી કરી અંતિમ ક્રિયા કરી માતૃ ઋણ અદા કર્યું હતું.
ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે બ્રાહ્મણ વાસ મા રહેતા ગોમતી બેન બાબુલાલ જોષી નુ લાંબી બીમારી બાદ ગતરોજ અવસાન થતા તેમને સંતાનમાં દીકરો ન હોઈ માતા ની અર્થીને ત્રણ દીકરીઓ જાગ્રુતિબેનજાની, આશાબેન દવે અને સોનલ બેન જોષી એ કાંધ આપી અંતિમ ક્રિયા કરી દીકરાની ખોટ પુરી માતૃ ઋણ અદા કરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..
અહેવાલ યશપાલ સ્વામી