fbpx

ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા નિયત રૂટ પરથી લાખો ભકતો ની ઉપસ્થિત મા નગર ચર્યાએ નિકળશે…

Date:

પ.પૂ.વાગિશ મહારાજ ની ખાસ ઉપસ્થિત મા કેબિનેટ મંત્રી સહિત ના રાજકીય, સામાજિક આગેવાનો રથયાત્રા નું પ્રસ્થાન કરાવશે..

રથયાત્રામાં ભગવાનના ચાંદી મઢીત 3 રથો સાથે અન્ય 8 રથો, 2 હાથી, 2 ધોડા, 5 ઉટ,7 બેન્ડ,ડીજે,જુદી જુદી 75 ઝાંખીઓ,પ્રસાદના15 ટ્રેક્ટરજોડાશે

રથયાત્રામાં ભગવાન પરશુરામજી ના રથ સાથે જોડાનાર મહિલાઓ માટે સુરક્ષા માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાશે..

પાટણ તા.16
ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં જગન્નાથભક્તો સહિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પાટણના શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ તેમજ રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા ને લઈને શુક્રવારે જગદીશ મંદિર પરિસર ખાતેના હોલમાં પાટણ ના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા પત્રકારો ને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અનેરથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય દ્રારા ભગવાન જગન્નાથ ની નીકળનારી 141 મી રથયાત્રા ની તેમજ ભગવાનના મામેરા સહિત રથયાત્રા ના ઉપલક્ષ્યમાં મંદિર પરિસર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવોની વિસ્તૃતમાહિતી પ્રદાન કરવામાં આવી હતી.

તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલું સાલે નિકળનારી ભારત ભરના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ઐતિહાસિક નગરી પાટણ ની ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા તારીખ 20 જૂનના રોજ જગદીશ મંદિર પરિસર ખાતેથી બપોરે બે કલાકે ભગવાનની મહાઆરતી બાદ પ.પૂ. વાગિશ મહારાજ ની પાવન ઉપસ્થિત મા કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપુત, પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી. પટેલ, રાષ્ટ્રીય મહિલા આયોગ ના પૂર્વ સદસ્યા ડો રાજુલ દેસાઈ, પાટણ કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ સહિત ના રાજકીય,સામાજિક આગેવાનો દ્રારા પ્રસ્થાન કરાવાશે.

આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી,ભાઈ બલ ભદ્ર અને બહેન સુભદ્રાજી સહિત બ્રહ્મ સમાજના આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી ના રથ સાથે અન્ય 7 રથો,2 હાથી, 2 ઘોડા, 5 ઉટ, 7 બેન્ડ, ડીજે, 75 જેટલી વિવિધ ઝાંખીઓ, 2500 મણ ચણા, મગ ના પ્રસાદ માટે ના 15 ટ્રેક્ટરો જોડાશે.

આ રથયાત્રા મા 2 લાખથી વધુ ભકતો દશૅન પ્રસાદ નો લાભ લેશે જયારે રથયાત્રામાં ભગવાનશ્રી પરશુરામજી ના રથ આગળ જોડાનાર પાટણ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજની બહેનો સહિતની મહિલાઓ માટે સુરક્ષાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.રથયાત્રામાં સૌ પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાઈ હેરત અંગેજના અંગ કરતબો રજૂ કરશે.ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા પોતાના નિયત રૂટ મુજબ જગન્નાથ મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામી હિંગળા ચાચર, બગવાડાદરવાજા, સુભાષચોક, જુનાગંજ બજાર, પુનઃ હિંગળાચાચર,દોશીવટ બજાર, ત્રણ દરવાજા, રતનપોળ, સાલવીવાડા, મોટી સરાઈ, કસારવાડો, ધીવટા થઈ રાત્રે 11-00 કલાકે જગન્નાથ મંદિર પરિસર ખાતે સંપન્ન થશે.રથયાત્રા ના માગૅ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારના સેવા કેમ્પો કાયૅરત બનાવાશે. તો પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા જુનાગંજ ખાતે મહાપ્રસાદ ના સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવશે.

ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા પૂર્વે તા. 18 મી જુન ના રોજ ભગવાન ના મામેરા ના યજમાન પરિવાર ભૂમિ બેન મયંકકુમાર પટેલના 92,ભગવતી નગર ખાતે ના નિવાસ સ્થાને મામેરૂ પાથરવામાં આવશે.જે મામેરૂ તા.19 મી ની સાજે 5-00 કલાકે યજમાન પરિવાર ના નિવાસ સ્થાને થી ભક્તિ સંગીત ના સુરો વચ્ચે વિશાળ ભકતોની ઉપસ્થિત મા પ્રસ્થાન પામી રાત્રે 9-00 કલાકે જગન્નાથ મંદિર પરિસર ખાતે પહોચશે .મંદિર ખાતે મામેરા સહિત યજમાન પરિવાર નું ભવ્ય સામૈયું કરવામાં આવશે.જયારે તા.19 મી ના રોજ ભગવાન જગન્નાથજી ના મંદિર પરિસર ખાતે સવારે ભગવાન ની મહા પુજા, અચૅના સાથે મહા અભિષેક અને જાપાત્મક વિષ્ણુ યાગ અને ધ્વજા રોહણ કરવામાં આવનાર હોવાની માહિતી પિયુષvભાઈ આચાર્ય દ્રારા પત્રકારો ને પ્રદાન કરી હતી. ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાની રૂપરેખા આપવા માટે આયોજિત કરાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય હર્ષદભાઈ રાવલ કાંતિભાઈ પટેલ વિનોદભાઈ પટેલ રાજેશભાઈ રાવલ મામેરાના યજમાન પરિવાર મયંકભાઈ પટેલ, રથયાત્રા મીડિયા કન્વીનર યશપાલ સ્વામી અને ગિરીશ પ્રજાપતિ સહિત જગન્નાથ મંદિર ના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ ની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર…

26મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન...

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું..

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પવૅ નિમિત્તે ધ્વજ વંદન કરાયું.. ~ #369News

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ..

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ.. ~ #369News

પાટણ ના જાણીતા બિલ્ડર અને ડોક્ટર ના માતૃશ્રી ને પાટણ ના પ્રબુદ્ધ નગરજનોએ શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા..

પાટણ ના જાણીતા બિલ્ડર અને ડોક્ટર ના માતૃશ્રી ને પાટણ ના પ્રબુદ્ધ નગરજનોએ શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા.. ~ #369News