fbpx

પાનપામાં કર્મચારીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ફરજ પરના કમૅચારીઓની બદલી સાથે વધારાનાં ચાર્જ સોંપાયા..

Date:

પાટણ તા. 2
પાટણ નગરપાલિકામાં કમૅચારીઓની ધટ ને કારણે તંત્ર દ્વારા પાલિકાના કર્મચારીઓને પોતાની ફરજ ઉપરાંત વધારાનાં ટેબલોની જવાબદારી સોંપવાની સાથે એક કર્મચારીને બીજા વિભાગમાં કામગીરી કરવા બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે ચીફ ઓફીસર અને પ્રમુખે કરેલા આદેશ પ્રમાણે હાલમાં વેરાશાખા અને લીગલ શાખાની કામગીરી સંભાળતા સંજય પટેલને લગીલ શાખાની કામગીરી માંથી મુક્ત કરીને વેરાશાખાની કામગીરી ઉપરાંત વાહન શાખાનાં મુખ્ય ટેબલની વધારાની કામગીરી સોંપાઇ છે.જ્યારે વાહન શાખાનું મુખ્ય ટેબલ સંભાળતા જગદીશ ભીલને વેરાશાખાની કામગીરી માટે બદલી કરાઇ છે.તથા ગુમાસ્તા ધારા તથા વ્યવસાય વેરા ઉપરાંત સમગ્ર સભા તેમજ કારોબારીનાં ટેબલની એમ ચાર-ચાર જવાબદારી સંભાળતા રઝાક શેખને ઉપરોક્ત કામગીરી ઉપરાંત લીગલ શાખા ટેબલની કામગીરી સોંપાઇ છે.પાટણ નગર પાલિકા માં જવાબદાર અને મહત્ત્વનાં ટેબલો અને શાખાઓમાં કાયમી કર્મચારીઓ નિવૃત્ત થઇ રહ્યા હોવા થી અને તેમનાં સ્થાને સરકાર નવી ભરતી કરતી ન હોવાથી હાલમાં હયાત કર્મચારીઓને બે કે તેથી વધુ ટેબલોના ચાર્જ સોંપવા પડે તેવી સ્થીતી ઉભી થઇ હોવાનું પાલિકા સુત્રો એ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ડેર ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાતાં હડકંપ..

પાટણ તા.1પાટણ તાલુકાના ડેર ગામ ના સરપંચ ભરતસિંહ કે....

પાટણ ના ભીડભંજન હનુમાન મંદિર નજીક ના જજૅરિત મકાનની છત ધરાશાયી બનતા ફફડાટ વ્યાપ્યો…

પાલિકા દ્વારા જજૅરિત બનેલા મકાનો ના માલિકોને નોટિસ ફટકારી...

આજ રોજ નવસર્જન ટ્રસ્ટ પાટણ ના કાર્ય કરો દ્વારા પાટણ કલેકટર શ્રી અરવિંદ વિજયન ને બંધારણ ધર આપી શુભેછા મુલાકાત કરી

આજ રોજ નવસર્જન ટ્રસ્ટ પાટણ ના કાર્યકરો દ્વારા પાટણ કલેકટર શ્રી અરવિંદ વિજયન ને બંધારણ ધર આપી શુભેછા મુલાકાત કરી ~ #369News