પાટણ તા. 5 વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન સિદ્ઘપુરની શ્રી અભિનવ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા તા. 5 સપ્ટેમ્બર શિક્ષક દિનને સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. તા. 5 સપ્ટેમ્બરને ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસની યાદમાં સમગ્ર દેશમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાલયના 35 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક ,ક્લાર્ક અને પટાવાળા બન્યા હતા.
શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં બાકીના વિદ્યાર્થીઓને વિવિધ વિષયો શીખવ્યા હતા. શિક્ષક તરીકે પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. રુપેશભાઈ ભાટિયાએ કહ્યું કે, આજે સાચા અર્થમાં સ્વયં શિક્ષક દિવસ રહ્યો.આજે સ્વયં શિસ્ત અને અનુશા સનના દર્શન થયા હતા. આજના દિને સર્વમાં ભારતના શ્રેષ્ઠ શિક્ષકોના ગુણો અર્જિત થાય. આપણાં દેશને અગ્રેસર બનાવીએ એવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાલયની સહ પ્રધાનાચાર્યા આશા પટેલે કર્યું હતું તેમજ કાર્યક્રમની પૂર્વ તૈયારી વિદ્યાલયના શિક્ષક રશ્મિનભાઈ સથવારા તથા વિદ્યાર્થીઓએ સાથે મળીને કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી