fbpx

શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.

Date:

આજ રોજ ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળામાં આપણા મહામહિમ શિક્ષકથી સફર ખેડીને રાષ્ટ્રપતિ પદ પર પહોંચેલા આપણા ફિલોસોફર એવા ડો. સવૅપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસે શિક્ષક દિન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ- ૧ થી ૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત સ્વયં એક દિવસ બનેલા શિક્ષક મિત્રોએ પ્રાર્થના કાર્યક્રમથી લઈને શાળાના શૈક્ષણિક કાર્યની તમામ જવાબદારી પોતાને શિરે લીધી હતી.

દિવસની શુભ શરૂઆત માં સરસ્વતીની પ્રાર્થના,ભજન,ધૂનથી કરવામાં આવી તથા અભિનય ગીત, ઘડીયાગાન ,આજના મુખ્ય સમાચાર, આજનો દીપક અને આજનું ગુલાબ જેવા વિવિધ કાર્યક્રમો પૂર્ણ કરી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ આજે પોતાની શાળામાં પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, સેવક, ક્લાર્ક, શિક્ષક સહિતની તમામ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. વિધાર્થીનીઓએ સાડી પહેરીને શિક્ષણ કાર્ય કરવાનો અને શિક્ષિકા બનીને બાળકોને એટલે કે તેમના જ સહાધ્યાયીઓને ભણાવવાનો પણ અનરો આનંદ લીધો હતો.

શિક્ષકદિન પર્વની ઉજવણી શાળામાં હર્ષોઉલ્લાસથી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના આચાર્ય બનેલ વિધાર્થી ચૈત્ય નેહલકુમાર પટેલે પોતાના સંબોધનમાં આજના અનુભવ અને ગુરુના મહત્વને સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઇ.આચાર્યશ્રી વસંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા શાળા પરિવારના તમામ સભ્યોના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એપ લોન્ચ કરાઈ…

પાલિકા પ્રમુખ સહિત ના સભ્યોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં...

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ..

યુનિવર્સિટી ના કમ્પ્યુટર વિભાગ ના M.Sc. IT ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓનું સતત બીજા વર્ષે 100% પ્લેસમેંટ.. ~ #369News

પાટણ શહેરમાં ભક્તિસભર માહોલમાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાન પરશુરામજીની ની રથયાત્રા નીકળી..

પાટણ શહેરમાં ભક્તિસભર માહોલમાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાન પરશુરામજીની ની રથયાત્રા નીકળી.. ~ #369News

યુનિ.દ્રારા લેવામાં આવનાર ડેન્ટલની પરીક્ષાની તારીખ લંબાવાઈ..

તા. 6 ઓગસ્ટના બદલે હવે તા. 21 ઓગસ્ટથી પરિક્ષા...