પાટણ તા. 16 પાટણ નાનાબાર કડવા પાટીદાર સમાજ ના ગુંગડી પાર્ટી ના આગેવાનો શનિવારે કામાખ્યા દેવી ગૌહાટી આસામ ખાતે દર્શનાર્થે જવા રવાના થયા હતા. તેઓના પ્રસ્થાન પૂર્વે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે સરપંચે ખાસ ઉપસ્થિત રહી યાત્રીઓને સનાતન ધર્મ ના ખેસ થી સન્માનિત કરી મોં મીઠું કરાવી તેઓની યાત્રાની મંગલમય શુભકામના પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી