પાટણ કા રાજાની ભક્તિ સંગીતના સુરો વચ્ચે વિસર્જન યાત્રા હરિહર ખાતે પહોંચી કુંડમાં શ્રી નું વિસર્જન કરાયું…
પાટણ તા. 23 પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાટણ શહેરના જુના ગંજ બજાર ચોકમાં પાટણ કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની પ્રેરણાથી ગણેશ ચતુર્થી ના પાવન દિવસથી પાંચ દિવસ માટે કરવામાં આવ્યું હતું.
પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરાયેલા પાટણ કા રાજા ગણેશ મહોત્સવનું શનિવારના પવિત્ર દિવસે સમાપન કરવામાં આવ્યું હતું. આ સમાપન પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ સહિત મોટી સંખ્યામાં પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પાટણ કા રાજા વિઘ્નહર્તા દેવની પ્રતિમાને વાજતે ગાજતે પાટણ સમીપ આવેલ પાલડી સ્થિત શ્રી હરીહર મહાદેવ મંદિર પરિસર સામે આવેલ પવિત્ર કુંડમાં શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે વિસર્જન કરી ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ના ગગન ભેદી નાદ કયૉ હતાં.