fbpx

પાટણ નગર દેવી કાલિકા માતાજી મંદિર ખાતે લાભ પાંચમ ની સાંજે માતાજી ના ખપ્પર ના ( સળગતી સગડી) દર્શન યોજાયા..

Date:

પાટણ તા.૧૮
પાટણના નગરદેવી કાલીકા માતાના મંદિરે પરંપરાગત લાભપાંચમને શનિવારે સાંજે કાલીકા માતાને ખપ્પર ( સળગતી સગડી ) ચઢાવવામા આવી હતી.માતાજીના કિલ્લા ઉપર ખપ્પરના દર્શન કરવાનો અનેરૂ મહત્વ હોઇ મોટી સંખ્યામા ભકતો મદિરે દર્શન માટે ઉમટયા હતા.

જ્યાં ખપ્પર દર્શન કરી ભાવિકભક્તોએ ધન્યતા અનુભવી હતી.ત્યાર બાદ મંદિર ના કિલ્લાપરથી આતશબાજી કરાઈ હતી.

માતાજીને ખપ્પર ચઢાવવાનો મહત્વએ છે કે વાતાવરણમા રહેલા અનિષ્ઠતત્વ નુ દહન અને દુન્યવી પીડાઓ ઓથી ત્રસ્ત પ્રજાજનોને રાહત આપી મુક્તિનો માર્ગ ચીંધવો એ હેતુ આ સળગતી સગડી રહેલો છે .

ખપ્પર ચઢાવ્યા પછી ના માતાજીના દર્શન પારલૌકિક હોય છે . તેવુ મદિર ના પુજારી અશોક ભાઇ વ્યાસે જણાવ્યુ હતુ .

નગર દેવી કાલિકા માતાજી મંદિરમાં લાભપાંચમના દિવસે કાલીકા માતાજીના મુખારવિંદમાં ડાયમંડની નયનરમ્ય આંગી કરવામાં આવી હતી. મૈયાની મૂર્તિને ફુલોથી શણગારવામાં આવી હતી માતાજીના નયનરમ્ય દર્શનાર્થે દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. જ્યાં પ્રતિવર્ષની જેમ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ના ઈટોદા પ્રા. શાળામાં કૃમિ નાશક પ્રોગામ ની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. 14 ચાણસ્મા તાલુકા ના ઇટોદા પ્રાથમિક શાળા...

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પુત્રની યાદમાં પિતાએ પાણીની પરબ નું નિર્માણ કર્યું..

ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સૌજન્ય થી તૈયાર કરાયેલી...