પાટણ તા. ૧૮
લાભપાંચમ ના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નવીન પ્રવેશ દ્વારનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નવીન પ્રવેશ દ્વારને મેળોજ ગામમાં ભુંભળીયા પરિવાર દ્વારા તેઓના વડીલોના સ્મરણાર્થે બનાવવામાં આવેલ છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે નવનિર્મિત “મુખી પ્રવેશ દ્વાર” નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશદ્વાર ના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂત આવતા ગામલોકોએ તેમને આવકાર્યા હતા. જયારે નવા વર્ષે મંત્રીએ લોકોને રૂબરૂ મળી શુભેચ્છા ઓ પાઠવી હતી.
પ્રવેશ દ્વારના લોકાર્પણ પ્રસંગે ભાજપ સંગઠનના આગેવાનો, હોદ્દેદારોસહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.