fbpx

લાભપાંચમ ના પવિત્ર દિવસે મેળોજ ગામમાં નવીન પ્રવેશ દ્વારનું કેબિનેટ મંત્રીએ લોકાર્પણ કર્યુ…

Date:

પાટણ તા. ૧૮
લાભપાંચમ ના પવિત્ર દિવસે સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નવીન પ્રવેશ દ્વારનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

નવીન પ્રવેશ દ્વારને મેળોજ ગામમાં ભુંભળીયા પરિવાર દ્વારા તેઓના વડીલોના સ્મરણાર્થે બનાવવામાં આવેલ છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે નવનિર્મિત “મુખી પ્રવેશ દ્વાર” નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશદ્વાર ના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂત આવતા ગામલોકોએ તેમને આવકાર્યા હતા. જયારે નવા વર્ષે મંત્રીએ લોકોને રૂબરૂ મળી શુભેચ્છા ઓ પાઠવી હતી.

પ્રવેશ દ્વારના લોકાર્પણ પ્રસંગે ભાજપ સંગઠનના આગેવાનો, હોદ્દેદારોસહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સ્વિફ્ટ ગાડી માંથી વિદેશી દારૂ બીયર ના જથ્થા સાથે રૂ.૪,૨૦,૭૬૨ નો મુદામાલ ઝડપતી LCB ટીમ..

સિધ્ધપુર પોલીસે ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો સામે ગુનો નોંધી...

હારીજ શહેરમાં રખડતા આખલાએ વધુ એક વૃદ્ધનો ભોગ લીધો..

ઘરની બહાર કામ અર્થે નીકળેલા વૃદ્ધને આખલાએ અડફેટમાં લેતા...

સાંતલપુર ના સિધાડા ના શખ્સ ને દેશી બનાવટની બંદુક સાથે પકડી પાડતી પાટણ એસ.ઓ.જી ટીમ.

પાટણ તા. ૧૯પાટણ એસ.ઓ.જી પોલીસ ટીમે ખાનગી બાતમીના આધારે...