fbpx

ડૉ. આંબેડકરના 67 મા મહા નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ…

Date:

પાટણ તા. ૬
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ના 67 મા નિવૉણ દિવસ નિમિત્તે પાટણ શહેરના બગવાડ દરવાજા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ પ્રતિમા ને પાટણ શહેર અને તાલુકા વણકર સમાજ સેવા ટ્રસ્ટ અને દલીત સમાજ સહિત ભાજપ ,કોગ્રેસ અને આપ ના કાર્યકરોએ ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ પ્રસંગે બંધારણ ના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર ની દેશસેવાને ખાસ યાદ કરીને ડો.બાબા આંબેડકર અમર રહો ના નારા લગાવી બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો બાબા સાહેબના મહાનિર્વાણ દિન ની ઉજવણી ને યાદગાર બનાવી હતી..

પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા પણ ડો.આંબેડકરની પ્રતિમાએ માલ્યાર્પણ કરી બગવાડા દરવાજા ખાતે થી જનજાગૃતિ રેલી યોજી હતી.જે રેલી સિવિલ હોસ્પિટલ થઈ ચતુર્ભુજ બાગ,હિંગળાચાચર, જુનાગંજ બજાર, સુભાષચોક થઈને બગવાડા દરવાજા ખાતે સંપન્ન થઈ  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં

ગૃહ મંત્રીએ 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, ભ્રષ્ટ્રાચારના આરોપ, 12 અધિકારી રડારમાં ~ #369News

બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીના મંદિર શિખર પર શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે ધજા ચડાવાઈ..

મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ ધજા ચડાવવાના યજમાન તરીકેનો લાભ...