ભગવાનની જગન્નાથજી ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી..
પાટણ તા. ૧૨
પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે શુક્રવારે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ વડોદરા ના મહામંત્રી ચંદુલાલ વી.જોશી એ શુભેચ્છા મુલાકાત સાથે ભગવાન જગન્નાથજી ના દશૅન કરી ધન્યતા અનુભવી હતી તેઓની શુભેચ્છા મુલાકાત દરમિયાન મંદિરના મે. ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા મહામંત્રી વિનોદભાઈ જોશી, મંદિરના પૂજારી કનુભાઈ સુક્લ, બાલીસણા ગામના સરપંચ મનહરભાઈ દ્રારા તેઓને આવકારી ભગવાન જગન્નાથજી ની પૂજા કરાવી ફૂલહાર તેમજ શાલ સાથે મંદિર તરફથી પ્રકાશિત બે ધાર્મિક પુસ્તકોની ભેટ અપૅણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના મહામંત્રી વિનોદભાઈ જોશી તેમજ પિયુષભાઈ આચાર્યે એ ભગવાન જગન્નથજી નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી