યુનિવર્સિટીના ઈસી અને સેનેટ મેમ્બરો, વિવિધ સામાજિક-શૈક્ષણિક સંસ્થા સાથે પત્રકારોએ પણ કા. કુલપતિને સન્માન્યા..
પાટણ તા. ૧૫
ભગવાન શ્રી રામચંદ્રજીના તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર ભવ્યાતી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર ભારત ભરમાં ખુશી ના માહોલ સાથે આનંદ ઉલ્લાસ છવાયો છે. ત્યારે આ પુણ્યશાળી અવસરમાં સહભાગી બનવા સમગ્ર ગુજરાત ભરમાંથી સૌપ્રથમ શૈક્ષણિક સંસ્થાઓમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પહેલ કરી યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય મન કી અયોધ્યા ઉત્સવનું ભક્તિ સભર માહોલમાં આયોજન કયુઁ છે ત્યારે આ સુંદર આયોજન ની પહેલ કરનાર હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કા. કુલપતિ ડો. રોહિત દેસાઈ સહિત સમગ્ર યુનિવર્સિટી ટીમની સરાહના થઈ રહી છે.
ત્યારે આવા સુંદર આયોજન કરવા બદલ સોમવારે પાટણની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીના કારોબારી સભ્યો, સેનેટ સભ્યો સહિત ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકાર મિત્રો દ્વારા યુનિવર્સિટીના કા.કુલપતિ ડો. રોહિતભાઇ દેસાઈ ને સન્માન પત્રો એનાયત કરી અભિવાદિત કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે ઈસી મેમ્બર શૈલેષ પટેલ,બેબાભાઈ શેઠ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ, મહેન્દ્ર ભાઈ પટેલ, મનોજ પટેલ, ધર્મેન્દ્ર પ્રજાપતિ, યતીન ગાંધી, ધર્મેન્દ્ર પટેલ,ગૌરવ મોદી, હીનાબેન શાહ નગર પાલિકાના કોર્પોરેટરો સહિત પાટણ ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી