fbpx

પાટણ શહેરમાંથી 109 જેટલા રામ ભક્તો ભગવાન શ્રીરામ ના જય જય કાર વચ્ચે અયોધ્યા જવા પ્રસ્થાન પામ્યા…

Date:

પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ ભક્તોને અયોધ્યા ની યાત્રાની શુભકામના સાથે પ્રસ્થાન કરાવ્યું…

પાટણ તા. 9
અયોધ્યા સ્થિત નવ નિર્માણ પામેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર પરિસર ખાતે દર્શન માટે અધિરા બનેલા પાટણ શહેરના 110 રામ ભકતો સહિત સમગ્ર જિલ્લા માંથી 1340 જેટલા રામ ભક્તોને બુધવારે સાંજે ભગવાન શ્રી રામચંદ્રજીના ગગન ભેદી નારા વચ્ચે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ત્રણ દરવાજા ખાતેથી ભક્તિસભર માહોલમાં અને અબીલ ગુલાલ ની છોળો અને ફટાકડાની આંતશ બાજી વચ્ચે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

પાટણ શહેરમાંથી અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શનાર્થે જઈ રહેલા 110 જેટલા રામ ભક્તો માટે પાટણના જાણીતા સેવાભાવી યુવા અગ્રણી દર્શકભાઈ ત્રિવેદી પરિવાર દ્વારા ફૂડ પેકેટ ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ રામ ભક્તોને અયોધ્યાની યાત્રા માટેની શુભેચ્છાઓ સાથે પ્રસ્થાન કરાવવાના આ ધાર્મિક કાર્યક્રમમાં પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, પાટણ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ હેમત તન્ના, જીતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પવિત્ર પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી પુરુષોત્તમજીને ચલણી નોટોની આંગી કરાઈ…

પાટણ તા. 26 ધર્મની નગરી પવિત્ર પાટણ શહેરમાં ધાર્મિક...

સંદેશના પાટણ જિલ્લા બ્યુરો ચિફ હિમાંશુભાઈ વ્યાસ ની સુપુત્રી ચિ.વંશી એ ધો.12 કોમસૅ મા 98.40 પીઆર સાથે સિધ્ધી હાંસલ કરી..

સંદેશના પાટણ જિલ્લા બ્યુરો ચિફ હિમાંશુભાઈ વ્યાસ ની સુપુત્રી ચિ.વંશી એ ધો.12 કોમસૅ મા 98.40 પીઆર સાથે સિધ્ધી હાંસલ કરી.. ~ #369News