fbpx

પાટણ ખાતે રહેતા ભીલ – આદીવાસી પરિવારના વિધાર્થીઓને નિશુલ્ક ચોપડાઓનુ વિતરણ કરાયું…

Date:

પાટણ તા. ૧૯
પંચ પટેલ ભીલ સમાજ અમદાવાદ ના આગેવાન સ્વર્ગીય બાબુભાઇ ગણેશજી માંગલીકા ની પુણ્યતીથી નિમિતે તેઓના પરિવારજનો દ્વારા પાટણ ખાતે રહેતા આદિવાસી ભીલ સમાજ ના ધો.૧ થી કૉલેજ સુધી માં અભ્યાસ કરતા વિઘાર્થીઓને નિશુલ્ક ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ શહેરની ગંગામાતાની વાડી, નિલકંઠ મહાદેવ,ભીલવાસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.

સ્વ.ના પરિવારજનો દ્વારા સમાજના વિધાર્થીઓ માટે કરવામાં આવેલ ચોપડા વિતરણ ની સેવા પ્રવૃતિને સમાજના લોકોએ સરાહનીય લેખાવી સ્વગૅસ્થ ના આત્માની શાંતિ માટે કામના વ્યકત કરી હતી.

આ ચોપડા વિતરણ કાર્યક્રમ માં ભીલ સમાજ ના વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ટ્રાયબર યુવા ગૃપ કોઠાકુઈ ભીલવાસ ના મિત્રો એ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની નૂતન વિનય મંદિર શાળા ખાતે સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરાઈ..

બ્યુટી એન્ડ વેલનેસ લેબનું ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઉદ્ઘાટન...

શેઠ એમ એન હાઈસ્કૂલ, પાટણ ના બે બાળકલાકારો ની કલા ઉત્સવમા ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ..

પાટણ તા. 27સર્વ શિક્ષા અભિયાનગાંધીનગર, આયોજિત કલા ઉત્સવ 2023...

પાટણ જનતા હોસ્પિટલ સામે માનવતાની દિવાલ પાસેથી બીનવારસી ભિક્ષુકની લાશ મળી…

પાટણ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા બીનવારસી ભિક્ષુકની લાશને...