પરિક્રમા અર્થે આવેલા ભક્તો ને પાટણ પ્રજાપતિ યુથ કલબ દ્વારા સેવ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરાયું…
પાટણ તા. ૧૨
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદમનાભજી ની પદ્મવાડી મા બિરાજમાન ૩૩ કોટી દેવતાઓ, ૮૮ હજાર ઋષિમુનિઓ અને ૫૬ કોટી યાદવોના માટી સ્વરૂપે કયારાઓ ભક્તજનોની આસ્થા ના પ્રતિક સમાન પૂજનીય સાથે શોભાયમાન બની રહ્યા છે. ત્યારે સોમવારને મહાસુદ ત્રીજ ના પવિત્ર દિવસે ભગવાન શ્રી પદ્મનાભ સહિત પદ્મવાડી મા માટીના કયારા સ્વરૂપે પુજાતા ૩૩ કરોડ દેવી – દેવતાઓ, ૮૮ હજાર ઋષિમુનિઓ અને ૫૬ કોટી યાદવો ની પ્રદક્ષિણા ના પવૅ ની પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સાથે અઢારે વણૅના ભગવાન શ્રી પદમનાભજીના ભકત પરિવારોએ શ્રધ્ધા ભક્તિ સાથે પદ્મવાડી ની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી પદમનાભ મંદિર પરિસર સહિત પદ્મવાડી ની પરિક્રમા માટે પધારેલ તમામ શ્રધ્ધાળુ ઓને પાટણ પ્રજાપતિ યુથ કલબ ના સેવાભાવી યુવાનો દ્વારા સેવ અને બુંદીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી