પાટણ તા. ૧૧
3-પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી એ સોમવારે પ્રસિધ્ધ શ્રી વરાણા ના શ્રી ખોડીયાર માતાજીના દશૅન કરી આશિર્વાદ મેળવી ચુંટણી પ્રચાર ના શ્રીગણેશ કયૉ હતા. આ પ્રસંગે પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોષી, જિ.ભાજપ પ્રમુખ ડો.દશરથ ઠાકોર, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જીલ્લા મહામંત્રી રમેશભાઈ સિધવ,રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિગજી ઠાકોર, રાધનપુ વિધાન સભાના પ્રભારી દિનેશભાઇ અનાવાડીયા, પાટણ લોકસભાના વિસ્તારક ડો. ભગીરથ સિંહ સહિત વિસ્તારના આગેવાનો કાર્યકરો સાથે સમી તાલુકા ના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહજી ડાભી ની વિજય કામના વ્યકત કરી હતી.
સમી તાલુકા ના વરાણા ખાતે માં ખોડીયાર ના આશીર્વાદ લઈને ઉમેદવાર ભરતસિંહજી ડાભી એ લોક સભા 2024 ના ચુંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરતાં સમગ્ર વાતાવરણમાં કેસરીયો માહોલ છવાયો હતો.
અહેવાલ યશપાલ સ્વામી