પાટણ તા. ૩૧
પાટણના શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા નિયુકત કરવામાં આવેલ શ્રી પદ્મનાભ મુકિતધામ સમિતિ ના સેવાભાવી કાર્યકરો દ્વારા મુકિતધામ પરિસરની નવરાશના પળોમાં સફાઈ અભિયાન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શ્રી પદ્મનાભ મુકિતધામ સમિતિ ના સભ્યો દ્વારા મુકિતધામ પરિસરમાં ઉગી નિકળેલા બીનજરૂરી ઝાડી ઝાંખરા સહિત ની ગંદકી ઉલેચી મુકિતધામ પરિસરમાં પાણીનો છંટકાવ કરીને પશુપક્ષીના પાણીના કુંડાં ઓ ને સાફ કરી સ્વચ્છ પાણી થી કુડાઓ ભરવા સહિત ની પ્રવૃત્તિ કરવામાં આવતાં મુકિતધામ સમિતિના સેવાભાવી કાર્યકરો ની ઉપરોક્ત કામગીરી સરાહનીય બની હતી.
અહેવાલ યશપાલ સ્વામી