fbpx

પાટણ નગરદેવી કાલીકા માતાજી ને ચૈત્રી નવરાત્રી ના પ્રારંભે વિશિષ્ટ સૃગાર કરાયો..

Date:

પાટણ તા. ૯
પાટણનાં રાણકીવાવ સમીપ આવેલ પ્રાચીન કાલીકા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીના 9 દિવસીય મહોત્સવ નો ભકિતસભર માહોલમાં મંગળવારથી પ્રારંભ થયો છે.ત્યારે મંદિરમાં આજથી રોજ કાલિકા માતાજી, ભદ્રકાળી માતાજી ને અલગ અલગ આગી તેમજ સુગમ સંગીત સમારોહ થકી પુજા અચૅના કરાશે.

ઐતિહાસિક પાટણ નગરના પ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહ સ્થાપીત નગરદેવી કાલીકા માતાનું પ્રાચીન મંદિર શ્રધ્ધાળુ ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન બની રહયું છે. પ્રાચીન મંદિરના કિલ્લા માંથી માતાજી સ્વયંભુ પ્રગટ થયા હતા.

જયાં આદ્યશકિત માં કાલિકા અને મહાલક્ષ્મીના સ્વરુપમાં ભદ્રકાલી માતા બીરાજમાન છે. આજે વસંતીકા એટલે કે ચૈત્રી નવરાત્રીના પ્રારંભે મૈયાને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવ્યો હતો. જેમાં પુજારી અશોકભાઈ વ્યાસ પરિવાર દ્વારા મૈયાની દૈદિપ્યમાન મૂર્તિને પુષ્પમાળા તેમજ દેશ વિદેશથી ખરીદેલા વિવિધ ઘાટ અને આકાર ના અમેરીકન તેમજ ઓસ્ટ્રેલીયન ડાયમંડના આભુષણો આભૂષિત કરાયા હતા.

તો કલકત્તા તેમજ મુંબઈના રંગબેરંગી ફુલોની નયનરમ્ય આંગી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મૈયા ની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી જેના દશૅન માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મૈયાના મંદિરે ઉમટી પડયા હતા.

નવ દિવસીય મહોત્સવમાં કાલીકા મંદિર ખાતે મૈયાને નિતનવા વસ્ત્રો પરીધાન તેમજ અલંકારોથી આભુષિત કરવામાં આવશે તેમજ છેલ્લા 14 વર્ષથી નગરદેવીના મંદિરમાં દ્વિદિવસીય શાસ્ત્રીય તથા સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે.

આ પરંપરા મુજબ તા. 29-03- 2023 ને બુધવારે અમદાવાદની સુપ્રસિધ્ધ સંસ્થા સપ્તકના પંડિતો તથા અન્ય ખ્યાતિપ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય વાદન તથા ગાયન ના અને નૃત્યનાટિકાના કાર્યક્રમો સાંજે 6થી રાત્રિના11 દરમિયાન રજૂ કરવામાં આવશે.તા. 17-4-2024 ને માગળવારના દુર્ગાષ્ટમી ના રોજ સાંજે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ખ્યાતનામ કલાકારો તથા શાસ્ત્રીય નૃત્યગનાઓ દ્વારા યોજવાનો છે. તો તા 17- 4- 24 ને બુધવારે રામનવમી ના રોજ પાટણ ના સ્થાનિક કલાકારો તેમજ જાણીતા સંગીતજ્ઞો દ્વારા માતાજી સમક્ષ સુગમ ગીતો રજૂ કરવામાં આવશે.આમ કાલીકા માતાજી મંદિર ખાતે આજથી આ ચૈત્રી નવરાત્રી મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો હોય ભક્તોએ માતાજી ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંત ર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું..

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું.. ~ #369News

સરસ્વતી તાલુકાનો કિશોરી મેળો અધાર સીએચસી સેન્ટર ખાતેયોજાયો…

સરકારની વિવિધ યોજના ની જાણકારી આપતાં વિવિધ સ્ટોલ ગોઠવવામાં...