fbpx

સમી વઢિયાર ૨૧ ગોળ રોહિત સમાજ માંથી કુરિવાજો ને તિલાંજલિ આપવા આહવાન કરાયું..

Date:

આગેવાનો દ્વારા સમાજ જાગૃતિ માટે બંધારણીય પત્રિકા નું વિતરણ કરી સપથ ગ્રહણ કરાયાં..

પાટણ તા. ૨૯
સમી વઢિયાર ૨૧ ગોળ રોહિત સમાજ માથી કુરિવાજો ને સમાજ આગેવાનો દ્વારા તિલાં
જલિ આપવા આહવાન કરી સમાજ જાગૃતિ માટે બંધારણીય પત્રિકા નું સોમવારે વિતરણ કરવામાં આવ્યું હતું.

૨૧ વઢિયાર ગોળ રોહિત સમાજમાં રહેલા કુરિવાજો ને તિલાંજલિ આપવાનાં ઉદ્દેશ સાથે આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમ પાટણ જિલ્લા ના સમી ખાતે મુજપુરી દરવાજા વિસ્તાર માં આવેલ સદગુરુ બાલક સાહેબ ની જગ્યા માં સમી વઢિયાર 21 ગોળ સમાજ પરગણા ના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજ પરિવારોની ઉપસ્થિત મા યોજાયો હતો.

જેમાં સંત શિરોમણી રોહીદાસ વંશી સમી ૨૧ ગોળ વઢિયાર પરગણા રોહિત સમાજના સામાજિક વ્યવહારો તેમજ રીત રિવાજો અંગે નું સામાજિક બંધારણ સમાજના સામજિક અગ્રણીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

અને આ સામજિક બંધારણ નો મુખ્ય ઉદ્દેશ સમાજ માં રહેલા કુરિવાજો ને તિલાંજલિ આપવા, તેમજ સામજિક સમાનતા નો સોહાદ જળવાઈ અને સામજિક બંધારણ છેવાડા ના માનવી ને ધ્યાનમાં રાખીને બનાવવા માં આવેલ હોય જે સામજિક બંધારણની પત્રિકા છપાવીને સમી ૨૧ ગોળ રોહિત પરગણા ના આગેવાનો દ્વારા સમી મુકામે સમાજના શ્રેષ્ઠીઓ ની હાજરી માં સામજિક બંધારણ પત્રિકા નું વિતરણ કરી સામાંજિક બંધારણ નું પાલન કરવાના સૌએ શપથ લીધા હતા.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા ના મીડિયા ઈન્ચાર્જ તરીકે પત્રકાર યશપાલ સ્વામી જવાબદારી સોંપાઈ..

ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રાના મીડિયા ઈન્ચાર્જ તરીકેપત્રકાર યશપાલ સ્વામીજવાબદારી સોંપાઈ.. ~ #369News