fbpx

પાટણ ખાતે વડાપ્રધાન ની વર્ચુઅલ ઉપસ્થિતી તેમજ મુખ્યમંત્રીની પ્રેરક હાજરી માં યુનિવર્સિટી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે…

Date:

પાટણ તા. ૫
પાટણ જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતીમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજીત ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલી 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.

ઉપરાંત, સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા રૂ. 305.03 કરોડના કુલ 145 જેટલા કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત થશે. જેમાં વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચાયત (સિંચાઈ) વિભાગ, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ, જિલ્લા આયોજન અધિકારીની કચેરી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, વિભાગીય નિયામક એસ.ટી મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અનેકવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે.

સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સહભાગી થશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર તાલુકાના નાનાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્રારા સિંચાઈ નું અને પીવાના પાણી માટે પોકારો..

રાધનપુર તાલુકાના નાનાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્રારા સિંચાઈ નું અને પીવાના પાણી માટે પોકારો.. ~ #369News

પાટણ જીલ્લા બિલ્ડર એસોસિએશને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ તા.2સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે વરાયેલા...

પાટણની આદર્શ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માંથી બોર્ડ ની પરીક્ષાનો હાઉ દૂર કરવા નવતર પ્રયાસ..

વિદ્યાલય ની પ્રિલિમ પરીક્ષાનો બોર્ડ પદ્ધતિ મુજબ પ્રારંભ કરાયો.. વિદ્યાર્થીઓએ...