કેનાલની ગંદકીના કારણે શહેરીજનોમાં રોગચાળો ફેલાવવાની ભીતી..
પાલિકા તંત્ર દ્વારા નિયમિત કેનાલની સફાઈ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની…
પાટણ તા.૧
પાટણ શહેરને પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં જે કેનાલ દ્વારા પાણી ભરવામાં આવે છે તે પદમનાભ ચાર રસ્તા પાસેની કેનાલ અસહ્ય ગંદકીથી ખદ બદી રહી છે. છતાં પાલિકા તંત્ર દ્વારા આ કેનાલની ગંદકી ઉલેચવા અસમર્થ બની હોય જેના કારણે આવા ગંદકી યુક્ત પાણી પીને શહેરીજનો મા રોગચાળો ફેલાવા ની ભીતી સેવાઈ રહી છે.
પદમનાભ ચાર રસ્તા પાસે ની ગંદકીથી ખદબદતી કેનાલની સફાઈ કામગીરી માટે આ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત પાલિકા પ્રમુખ સહિત સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં આજદિન સુધી કેનાલની નિયમિત સફાઈ કામગીરી હાથ ન ધરાતા શહેરીજનોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
પાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી તાત્કાલિક ધોરણે પદ્મનાભ ચાર રસ્તા નજીકની કેનાલની નિયમિત પણે સફાઈ કામગીરી હાથ ધરાવે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી