ઇજાગ્રસ્ત બનેલા શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો..
પાટણ તા. ૩
પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો નો ત્રાસ વધ્યો હોવાની પ્રતિતી લોકો કરી રહ્યા છે ત્યારે આવીજ એક ઘટના ગતરોજ સાતલપુર ખાતે અસામાજિક તત્વો દ્વારા જુની અદાવતમાં એક શખ્સ પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના પરથી પ્રકાશમાં આવવા પામ્યો છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ગતરોજ ઠાકોર વિષ્ણુજી રણછોડજી નામના શખ્સ ઉપર આહિર રાજુભાઈ અણદાભાઈ અને ભરત આહીર સહિતના પાંચ લોકોએ દ્વારા જુની અદાવતને લઈ જીવલેણ હુમલો કરતા સાતલપુર મા હડકંપ મચી જવા પામી હતી. જોકે હુમલો કરનારા તત્વો હુમલો કરી ફરાર થઈ ગયા હતા જયારે ઈજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બાબતની ઈજાગ્રસ્ત દ્રારા હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સાતલપુરમાં બનેલી ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ચુસ્ત બનાવવામાં આવે અને આવા અસામાજિક તત્વોને નસીયત કરાઈ તેવી લોક માંગ પ્રબળ બની છે.
અહેવાલ યશપાલ સ્વામી