છાત્રો હવે 3 જૂન ના બદલે 13 જૂન સુધી ફોર્મ ભરી શકશે…
પાટણ તા. ૩
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક અભ્યાસક્રમની કોલેજોમાં પ્રવેશ માટે કેસીજી દ્વારા વિકાસ પોર્ટલ પર પ્રવેશ માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા 3 જૂન રખાઈ હતી જે તારીખ લંબાવી હવે 13 જૂન કરવામાં આવી હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષ 2024 25 માં કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે.
જે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કરનાર છાત્રોને હવે ઉચ્ચ અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા વિકાસ પોર્ટલ ઉપર શરૂ થઈ છે જેમાં છાત્રોને આગામી ત્રણ જૂન સુધી પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદત અપાઈ હતી પરંતુ અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ ફોર્મ ભરવામાં સ્નાતક અભ્યાસક્રમ ના પરિણામ અવશ્ય જરૂરી હોય રાજ્યની મોટાભાગની યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસ ના અંતિમ વર્ષના પરિણામ જાહેર થયા ના હોય
કેસીજી દ્વારા છાત્રો પ્રવેશથી વંચિત ના રહે તે માટે મુદત લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ત્રણ જૂનના બદલે છાત્રો 13 જુન સુધી ફોર્મ ભરી શકશે. ઉત્તર ગુજરાતના છાત્રો અને અનુસ્નાતક અભ્યાસ માં પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદત લંબાતા હવે વિધાર્થીઓ ચિંતા મુક્ત બની આરામ થી પ્રવેશ ફોર્મ ભરી શકશે.
અહેવાલ યશપાલ સ્વામી