fbpx

પાટણ મા શિખ સમુદાય દ્ધારા શ્રી અરજન દેવજી મહારાજના શહિદ દિન નિમિત્તે સેવા કેમ્પ કરાયો.

Date:

પાટણ તા. ૧૦
શિખ ધર્મના પાંચમા ગુરુ અને મોગલોના અત્યાચાર માંથી હિન્દુ ધર્મને બચાવા આજથી ૪૦૦ વષૅ પહેલા સળગતા ચુલા પર તવો મુકી તેની પર બેસી પોતાનું બલિદાન આપનાર શ્રી ગુરૂ અરજન દેવજી મહારાજ ના શહિદ દિન નિમિત્તે તેઓની યાદમાં સોમવાર ના રોજ પાટણ અને બનાસકાંઠામાં રહેતા શીખ સમાજ ના પરિવારજનો અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા શહેરના પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર થી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ અન્ય જરૂરિયાત મંદોને ગરમા ગરમ વધારેલ ચણા અને ઠંડા સરબત નું વિતરણ કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શિખ સમાજ દ્વારા શ્રી ગુરુ અરજન દેવજી મહારાજના શહિદ દિવસ નિમિત્તે આયોજિત કરવા માં આવેલ સેવા કેમ્પ નો મોટી સંખ્યામાં લોકો એ લાભ લઈ શ્રીગુરુ અરજન દેવજી મહારાજની શહીદી ને નમન કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જી.ઇ.બી.ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરજીત ભટ્ટાચાર્ય ને હુંફાળુ વિદાયમાન અપાયું..

પાટણ જી.ઇ.બી.ના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુરજીત ભટ્ટાચાર્ય ને હુંફાળુ વિદાયમાન અપાયું.. ~ #369News