પાટણ તા. ૧૨
ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલ, હાજીપુર,પાટણ ખાતે બી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિંગ ધ્વરા નર્સિંગની એ. એન. એમ ૧૨ મી જી. એન. એમ ૭ મી, બી. એસસી નર્સિંગ ૨ જી બેંચના તાલીમાર્થીઓનો મંગળવારે ‘દીપ પ્રાગટય’ અને ‘શપથ ગ્રહણ’ સમારોહ સાથે નર્સિંગના વ્યવસાયમાં વિધિગત પ્રવેશ થયો હતો.
દીપ પ્રાગટય પણ એક અર્થપૂર્ણ વિધિ છે. દીપ એક પ્રકારનું પ્રતિક છે, જે નર્સ ધ્વરા તેના દર્દીના દુઃખ અને પીડા દુર કરી તેના જીવનમાં રાહત,સુખ અને આનંદરૂપે ઝળહળે છે. આ શપથ ગ્રહણ ધ્વરા નર્સિંગના વિધાથીઓ હવે જે વ્યવસાયમાં પ્રવેશ છે તેના પ્રત્યેના નિષ્ઠા અને સમર્પણની ભાવના પ્રગટ થાય છે.
ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ સુમનબેન મોર્ય તથા આસી. નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ તથા વહીવટી વિભાવના ભાવેશભાઈ રાજપૂત જીએમઈઆરએસ,ધારપુર,પાટણ, ડી.આઈ.પટેલ વિદ્યા સંકુલના પ્રેસિડેન્ટ દશરથ ભાઈ આઈ. પટેલ, ટ્રસ્ટી સચીનભાઈ ડી પટેલ, મિતલબેન એસ પટેલ,ડૉ.રિન્કુબેન ડી પટેલ, ડી.આઈ.પટેલ નર્સિંગ કોલેજેના પ્રિન્સિપાલ, શ્રીમતિ એચ.ડી.પટેલ બી.એડ કોલેજના પ્રિન્સિપાલ, જી.એચ.પટેલ બી.એડ કોલેજના પ્રિન્સિપાલ સહીત મહેમાનોએ વિધાથીઓને આરોગ્યના ક્ષેત્રે એમની સેવાની મુલ્યોની વાત કરીને જીવનમાં સફળતા માટેના આશીર્વાદ પાઠવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી