fbpx

પાટણ શહેર સહિત જિલ્લા માં ઠેરઠેર ગુરૂ પૂજનનાં કાર્યક્રમો યોજાયા..

Date:

પાટણ તા. ૨૧
પાટણ શહેર સહિત જિલ્લા માં રવિવારે અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાનું પાવન પર્વની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

અજ્ઞાનરૂપી અંધકારને દુર કરી જ્ઞાનરુપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.

મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને
ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.

ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુ દેવેભ્યો નમઃ પાટણ શહેરની તેમજ પંથકની ગુરુગાદીઓ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

જીલ્લાભરમાં આશ્રમો, મંદિરો ગુરુ પૂનમે વહેલી સવારથી સતી-સેવકોના જય ગુરુદેવના નાદથી ગૂંજી ઉઠયા હતાં. ગુરૂપૂર્ણિમા ના પાવન પર્વ નિમિત્તે શિષ્યોએ પોતાનાં હ્રદયસ્થ ગુરુઓનાં વંદનપૂજન માટે ગુરુગાદીઓ ખાતે જઇને શિશ નમાવી આશિષ મેળવ્યા હતા.

તો પાટણ શહેરના વિવિધ મંદિરોમાં ગુરુપૂજન નાં વિશેષ આયોજનો સાથે હવન યજ્ઞ પણ કરાયા હતા. શહેરના પંચમુખી હનુમાન મંદિર , સિધ્ધનાથ મહાદેવ, કાલીકા માતાજી મંદિર, પ.પુ. પાઠક સાહેબ ની જગ્યા, પાંચ પીપળ શકિત મંદિર, નોરતા દોલતરામ બાપુ આશ્રમ, ટોટણા સદારામ બાપુ આશ્રમ સહિત ગુરૂ ગાદીએ ગુરૂપૂર્ણિમા એ રાજકીય, સામાજિક આગેવાનો સહિતના શિષ્યોએ શિશ નમાવી આશિષ મેળવી ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંત ર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું..

ફતેસિંહ લાયબ્રેરી દ્વારા મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગીતાનો જ્ઞાનયોગ ઉપર પ્રવચન યોજાયું.. ~ #369News

પાલિકા પ્રમુખ ના માગૅદશૅન હેઠળ આયોજિત ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

રામનગર પ્રા.શાળા,નાણાવટી પ્રા.શાળા અને આદશૅ હાઈસ્કૂલમાં પાલિકા પ્રમુખે કુમકુમ...