ભક્તિ સંગીતના સુરો સાથે નીકળેલી કાવડ યાત્રામાં યજમાન દુર્ગા પ્રસાદ જોશી પરિવાર સહિતના ધમૅ પ્રેમી નગરજનો જોડાયા..
પાટણ તા. ૫
સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોળાનાથ ની આરાધ ના ના પવિત્ર પર્વ સમા શ્રાવણ માસ નો સોમવાર ના પવિત્ર દિવસ થી ભક્તિ સભર માહોલ માં શહેરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવની પૂજા, અર્ચના અને મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમાં ગત વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણ માસના પ્રારંભે દુર્ગા પ્રસાદ જોશી પરિવાર દ્વારા કાવડયાત્રાનું ભક્તિમય માહોલમાં સંગીતના સુમધુર સુરો વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું.
સૃષ્ટિના સર્જનહાર ની આરાધના માટે આયોજિત કાવડ યાત્રા શ્રાવણ ના પ્રથમ સોમવારે શહેરના દવે ના પાડા સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે થી હર હર મહાદેવ ના ગગનભેદી નાદ વચ્ચે પ્રસ્થાન પામી શહેરના જુનાગંજ બજાર, હિંગળાચાચર ચોક,ઘીમટા નાકા, બહુચર માતાજી મંદિર, કસાર વાડો થઈને દામાજીરાવ બાગ સ્થિત શ્રી છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન બની હતી.
ભગવાન ભોળાનાથ ના જય જય કાર વચ્ચે પ્રસ્થાન પામેલી કાવડ યાત્રાને ખુદ મેઘરાજાએ અમી છાંટણા કરીને વધાવતાં કાવડયાત્રા મા જોડાયેલા શ્રધ્ધાળુઓ મા ભક્તિ નો અનેરો આનંદ છવાયો હતો. દુર્ગા પ્રસાદ જોષી પરિવાર દ્વારા શ્રાવણ માસના પ્રારંભ નિમિત્તે આયોજિત કરાયેલી કાવડયાત્રા માં પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કિશોર ભાઈ મહેશ્વરી, અર્જુનભાઈ જોષી, શુભમભાઈ જોષી સહિત પાટણની ધમૅ પ્રેમી જનતા હર હર મહાદેવ ના નાદ સાથે જોડાઈ હતી.
અહેવાલ યશપાલ સ્વામી