પાટણ તા. 10
આઝાદીના 78 માં વર્ષને પૂર્ણ થવાના અવસરે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ફરીથી તમામ દેશવાસીઓને પોતાના ઘરે, કાર્યસ્થળે, દુકાને અને વ્યવસાયના સ્થળે ધ્વજ ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા માટેનું આહવાન કર્યું છે. જે સંદર્ભે પાટણ જિલ્લાના નાગરિકો પણ આ અભિયાન માં જોડાવા માટે સહભાગી બની રહ્યા છે.
પાટણના સરસ્વતી તાલુકાના વહાણા ગામની પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ હર ઘર તિરંગા અભિયાન
માં ગામના લોકોને જોડવા માટે શનિવારે તિરંગા રેલીનું આયોજન કર્યું હતુ.
તો દશાવાડા પ્રા.શાળાનાં ભૂલકાઓએ પણ ચિત્રો દોરીને પોતાની રાષ્ટ્ર ભાવના ઉજાગર કરી હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આયોજિત કરાયેલા આ કાર્યક્રમને અનુલક્ષીને શાળા પરિવાર સહિત ગ્રામજનો એ પણ રાષ્ટ્ર ભાવના અને ઉજાગર કરવા હર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપી શાળાના મકાન પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી