fbpx

સાંતલપુર તાલુકાના રણની કાધી એ આવેલ ગોખાતર ગામડી પ્રા.શાળા માં તિરંગા યાત્રા દ્વારા દેશ ભક્તિ નો નાદ ગુજયો..

Date:

પાટણ તા. ૧૩
પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકાની રણ ની કાધી એ આવેલ ગોખાતર ગામડી પ્રાથમિક શાળા દ્વારા મંગળવારે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. શાળા ના બાળકો અને શિક્ષકો દ્વારા ગામના જાહેર રસ્તા ઉપર હાથમાં તિરંગો લઈ દેશ ભક્તિના ગીતોના તાલે તિરંગા યાત્રા કરી ગામમાં દેશ ભક્તિનું વાતાવરણ નિર્માણ કરવા માં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ શાળા ના આચાર્ય મદારસિંહ ગોહિલના આયોજન અને માર્ગદર્શન તળે કરવામા આવ્યો હતો.જયારે શાળા ના શિક્ષક બી.બી.પટેલના સહયોગ દ્વારા કાર્યક્રમ સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.તિરંગા યાત્રામાં વિધાર્થીઓની સાથે સાથે તેમના વાલીગણ પણ જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમી-શંખેશ્વર હાઇવે પર ટ્રક પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતાં ત્રણ યુવક નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા..

રક્ષાબંધન ના પવિત્ર દિવસે જ બહેનોએ ભાઈઓ ગુમાવતાં પરિવારજનોમાં...

પાટણ શહેરના અલગ અલગ વિસ્તારમાં રખડતાં ઢોર ની હડફેટે બે ઈસમો ગંભીર રીતે ધવાયા..

એક ઈસમને માથામાં હેમરેજ થતાં હાલત નાજુક જયારે બીજા...