fbpx

સિદ્ધપુર તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2023-24 પ્રચાર કાર્ય અભિયાન હાથ ધરાયું.

Date:

પાટણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓ ના માર્ગદર્શન હેઠળ પ્રવેશોત્સવ અભિયાનના પ્રચાર કાર્ય નો પ્રારંભ કરાયો..

સિદ્ધપુર તા. 10

પાટણ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ગૌરીબેન સોલંકી તથા સિદ્ધપુર ઘટક ના સીડી.પી.ઓ.શ્રી રંજનબેન શ્રીમાળી તથા મુખ્ય સેવિકા બેન શ્રીઓ અને PSE ઇન્સ્ટ્રક્ટર ના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રેરણા દ્રારા વધુ ને વધુ બાળકો આંગણવાડી માં પ્રવેશ મેળવે તે હેતુ થી આંગણવાડી પ્રવેશોત્સવ 2023-24 કાર્યક્રમ અંતર્ગત વિવિધ આંગણવાડી ઓમાં પ્રચાર-પ્રસાર નું કાર્ય શરૂ કરવામાં આવ્યું. આ અભિયાન નો મુખ્ય ઉદ્દેશ બાળકો ને આંગણવાડી માં આવકાર, પ્રેમ તથા હુંફાળું વાતાવરણ મળી રહે તથા 3 વર્ષ પૂરણ કરેલ બાળક આંગણવાડી માં આવતું થાય તે છે.

આંગણવાડી માં બાળકો ને કાર્યકર બેનો દ્રારા વિવિધ લાભો આપવામાં આવે છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા પોષણતમ આહાર પુરા પાડવામાં આવે છે.

બાળકો ના પ્રવેશોત્સવ ના પ્રચાર પ્રચાર ની શરૂઆત દ્રારા બાળકો,વાલીઓ, લાભાર્થીઓ, ગ્રામજનો ને અવગત કરી તેઓ આંગણવાડી પ્રત્યે જાગ્રતતા કેળવી બાલવિકાશ નું પ્રથમ પગથિયું આંગણવાડી જ હોય. બાળક માટે આ અવસર બની રહે તે હેતુ થી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેવુ બાળ વિકાસ અધિકારી દ્રારા જણાવવા માં આવ્યું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારતીય જીવન વીમા નિગમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કે. કે. મહેતાને સન્માનિત કરાયા..

ભારતીય જીવન વીમા નિગમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કે. કે. મહેતાને સન્માનિત કરાયા.. ~ #369News

સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ પદે ત્રણ મહિલા સદસ્યાઓની દાવેદારી..

કેબિનેટ મંત્રી ની ભલામણ કામ આવશે કે પછી ભાજપનું...