fbpx

પાટણની પ્રભુતા સમાન પટોળા ના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથજી નગર ચયૉએ નિકળશે..

Date:

માધવી હેન્ડીક્રાફટ પરિવાર ના અણમોલ ભાવ સાથે પટોળા માથી તૈયાર કરાયેલ વસ્ત્રો મંદિર ને અપૅણ કરાયા..

પાટણ તા.15
ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાંથી ભગવાન જગન્નાથજી ની નીકળનારી ભારત ના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની 141 મી રથયાત્રા ને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત જગન્નાથ ભક્તોમાં અનેરો ઉત્સાહ ઉમંગ છવાયો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે રથયાત્રાની તમામ પ્રકારની તૈયારીઓ નો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

ત્યારે અષાઢી બીજ ના પવિત્ર દિવસે ચાંદી મઢીત રથોમા નગર ચયૉ એ નીકળનાર ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સૌ પ્રથમવાર પાટણની પ્રભુતા સમાન પટોળા માથી તૈયાર કરાયેલા વસ્ત્રો પરિધાન કરી નગર ચયૉ એ નીકળ નાર હોવાનું શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ ના કન્વીનર પિયુષભાઇ આચાર્ય એ જણાવ્યું હતું.

પાટણ માથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રા ને સફળ બનાવવા અઢારે વણૅના લોકો તન,મન અને ધન થી સહયોગ આપી રહ્યા છે.

ત્યારે પાટણ ના મોટી ભાટિયાવાડ ખાતે આવેલ પટોળાના કસબી માધવી હેન્ડીક્રાફટ ના સુનિલ ભાઈ સોની પરિવાર દ્રારા પોતાના અણમોલ ભાવથી છ કારીગરો ની મદદથી વિવિધ પ્રકારના રેશમો સહિત ભગવાન ના શરીર ની ચામડી ને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોચે તે માટે નેચરલ ડાઈગ સાથે વનસ્પતિઓ ના નેચરલ કલરો વડે છ કારીગરોની અથાગ મહેનત સાથે સાત માસ જેટલા સમયમાં પટોળા માથી તૈયાર કરવામાં આવેલા ભગવાન ના વસ્ત્રો એકાદશીના પવિત્ર દિવસે જગન્નાથ મંદિર ટ્રસ્ટ ને સુનિલભાઈ સોની પરિવાર દ્વારા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વરમા પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ મેળવતી સખી મંડળની 30 બહેનો.

પાટણ તા. ૫પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં પ્રાકૃતિક કૃષિની મુહિમ...