બીપરજોય વાવાઝોડાને કારણે સિદ્ધપુર તાલુકાના ખોલવાડા, મેળોજ, ઉમરૂ, વરશીલા, તાવડીયા, લુખાસણ, ખડીયાસણ, મુડવાડા, કાકોશી, અને સિદ્ધપુર સીટીમાં આશ્રય પામેલા નાના બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓ, અને કિશોરીઓને THR પેકેટ, સુખડી, ફ્રુટ, વેજીટેબલ પુલાવ, જેવું પુરક આહારનું વિતરણ આજ રોજ કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે આઇ.સી.ડી.એસ. શાખાના સંકલીત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી રંજનબેન શ્રીમાળી, મુખ્ય સેવિકાશ્રી ભારતીબેન સોલંકી, દક્ષાબેન ઠક્કર, શિતલબેન ચૌધરી, તેમજ એન.એન.એમ કો.ઓર્ડિનેટર પાયલ બેન અને પી.એસ.ઇ ઇન્સ્ટ્રકટર કરૂણાબેન અને આંગણવાડી કાર્યકરબેનો તેમજ તેડાગરબેનો દ્રારા સેલ્ટર હોમમાં આશ્રય પામેલા લોકોને મદદરૂપ થઇ સરાહનીય કામગીરી કરવામાં આવેલ
અહેવાલ યશપાલ સ્વામી