પાટણ તા. 7
‘વસુધૈવ કુટુંબકમ્’ મંત્ર સાથે સમગ્ર ભારતમાં સામાજિક સમરસતાની જયોત પ્રગટાવનાર સંતો મહાત્માઓના યોગદાનના સ્મરાણાર્થે તેમજ સામાન્ય જન સુધી સમરસતાના ભાવ પ્રગટીકરણ ના હેતુ સર તા.1 સપ્ટેમ્બર થી તા. 11 સપ્ટેમ્બર સુધી પાટણમાં આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞ ના અવસરને અનુલક્ષીને રવિવારે ‘સમર્થ-સમરસ-યજ્ઞ (યજ્ઞ થકી સમાજ પરિવર્તન) સ્વરૂપે એક દિવસીય પરીસંવાદનું આયોજન શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
રવિવારે રાત્રે પાટણના ગાંધી સ્મૃતિ હોલમાં આયોજિત આ વ્યાખ્યાન ના મુખ્ય વક્તા કિશોરભાઈ મકવાણા દ્વારા ‘સામાજિક સમરસતા’ પર મનનિય વ્યાખ્યાન આપ્યું હતું. પરિસંવાદના અતિથી વિશેષપદે મહંત શ્રી સંજીવન દાસજી (બંધવડ હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે ઉપસ્થિત સૌએ અસ્પૃશ્યતા-જાતિવાદ જેવા દૂષણ દૂર કરી સમરસ હિન્દુ સમાજનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી