પાટણ તા. 26 પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા ધોરખોદીયા પરિવાર દ્વારા વડનગર મુકામે શ્રી બ્રહ્માણી માતાના નીજ મંદિરે આયોજિત કરાતા હવન યજ્ઞનું ચાલુ સાલે પણ શુક્રવારના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું હતુ.
આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં પાટણ પ્રજાપતિ પરિવાર ના સભ્યોએ ઉપસ્થિત રહી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત કરાયેલા હવન યજ્ઞના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી